news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને તાલુકા માંથી લોકો હોંશે હોંશે લોકો બસો માં આવ્યા

મેંદરડા તાલુકા માંથી 50 જેટલી બસોના માધ્યમથી વડાપ્રધાન મોદીના સભા સ્થળ સુધી પહોંચ્યા લોકો.

આજરોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જુનાગઢ ની પાવન ધરતી પર પધાર્યા હતા ત્યારે મેંદરડા તાલુકા દ્વારા છે બસો ભરીને જુનાગઢ રવાના થઈ હતી જૂનાગઢમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ તારીખ 19 ના રોજ રૂપિયા 4155 કરોડના જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બપોરે ત્રણ કલાકે કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે હાજર રહ્યા હતા અને વિશાળ જાહેરસભા સંબોધી હતી વડાપ્રધાનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજ્ય કક્ષાના મંત્રી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા સાંસદ રમેશભાઈ ધડુક સહિતના ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટે સુચારું આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા તળાવમાં તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં મેંદરડા તાલુકાના લોકોને આ સભાસ સ્થળ સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્ર દ્વારા એસટી બસોની સુવિધા કરવામાં આવી હતી જેમાં મેંદરડા તાલુકામાં 50 જેટલા રૂટો પર બસો મૂકવામાં આવી હતી ત્યારે આ બસોના માધ્યમથી લોકો સભા સ્થળ પર પહોંચ્યા હતી

Leave a Reply

Your email address will not be published.