news

ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવામાં આવશે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપી મંજૂરી

ફૈઝાબાદ કેન્ટનું નામ: યુપીની યોગી સરકારે પહેલાથી જ ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું છે.

ફૈઝાબાદ કેન્ટના નામમાં ફેરફારઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દશેરાની ઉજવણી પહેલા મોટી જાહેરાત કરી છે. તેમણે ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. આ પહેલા યુપીની યોગી સરકારે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરી દીધું છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 5 ઓગસ્ટ 2020ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારથી મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે કોર્ટના નિર્ણય બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થશ્રેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. તેને જોતા ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.