news

યુપી: ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થવાની 2 ઘટનાઓમાં 10ના મોત

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

ઈટાવા: ઉત્તર પ્રદેશના ઈટાવામાં છેલ્લા ત્રણ દિવસમાં અવિરત વરસાદને પગલે દિવાલ ધરાશાયી થવાની બે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ઇટાવા ઉપરાંત ફિરોઝાબાદ અને બલરામપુર સહિત કેટલાક અન્ય જિલ્લાઓમાંથી પણ મૃત્યુના અહેવાલ છે.

હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published.