news

જૂનાગઢના જોષીપરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સમાન ઉંચી પ્રતિમા મુકાશે

સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે જુનાગઢ શહેરના જોશી પરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિકૃતિ સમાન ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે શાકમાર્કેટ અને સર્કલનું પણ નવીનીકરણ કરવા માટે મહાનગરપાલિકાએ તમામ તૈયારીઓ કરી લીધી છે

જુનાગઢ શહેરમાં જોષીપરા શાકમાર્કેટમાં આવેલ સરદાર પટેલની પ્રતિમા અને સર્કલ નું નવીનીકરણ કરવામાં આવશે સરદાર પટેલ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિકૃતિ સમાન સરદાર પટેલની ઊંચી પ્રતિભા મૂકવામાં આવશે આ અંગે જુનાગઢ મહાનગરપાલિકાના શાહી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા એ જણાવ્યું હતું કે શહેરમાં આવેલ વિવિધ સર્કલો અને સ્ટેચ્યુના નવીનીકરણ માટે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આગામી 31 ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે શહેરના જોશી પર આ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ હાફ સ્ટેચ્યુના સ્થાને સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિકૃતિ સમાન સરદાર વલ્લભભાઈ પટેલ ની આઠ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે અને તે સર્કલ નું નવીનીકરણ કરવામાં આવશે તેની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે આ સાથે અહીંના જોશીપુરા શાકમાર્કેટમાં પણ કોંક્રીટ કરીને ડેવલપ કરવામાં આવશે સાથે શહેરના ગાંધી ચોક સર્કલનું પણ ડેવલપમેન્ટનું કામકાજ ચાલી રહ્યું છે આમ જુનાગઢ શહેરના મોટાભાગના ઐતિહાસિક સ્મારક સમાન સર્કલોનું રંગ રોગ અને ડેવલોપમેન્ટની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે

Leave a Reply

Your email address will not be published.