એકનાથ શિંદેએ મંગળવારે રાહુલ શેવાળેને લોકસભામાં પાર્ટીના નેતા જાહેર કર્યા અને પાંચ વખતના સભ્ય ભાવના ગવળીને મુખ્ય દંડક તરીકે જાળવી રાખ્યા.
મુંબઈ: મહારાષ્ટ્ર સમાચાર: શિવસેનાના એકનાથ શિંદે જૂથે ચૂંટણી પંચને પત્ર લખીને પક્ષના ચૂંટણી ચિન્હ ‘ધનુષ-તીર’ની ફાળવણીની માગણી કરી છે. ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પત્રમાં, શિંદે જૂથે વાસ્તવિક શિવસેના હોવાનો દાવો કર્યો છે અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આપેલી માન્યતાનો ઉલ્લેખ કર્યો છે. શિંદેએ 30 જૂને રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જેના પગલે મહારાષ્ટ્રમાં શિવસેનાના 55માંથી ઓછામાં ઓછા 40 ધારાસભ્યોએ બળવાખોર નેતા શિંદેને સમર્થન જાહેર કર્યું હતું.
એકનાથ શિંદેએ મંગળવારે રાહુલ શેવાળેને લોકસભામાં પાર્ટીના નેતા જાહેર કર્યા હતા અને પાંચ વખતના સભ્ય ભાવના ગવળીને મુખ્ય દંડક તરીકે જાળવી રાખ્યા હતા. અગાઉ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચને પત્ર લખીને વિનંતી કરી હતી કે પક્ષના નામ અને તેના પ્રતીક પરના દાવા અંગે કોઈ નિર્ણય લેતા પહેલા તેના મંતવ્યો સાંભળવામાં આવે.