પોરબંદર સહિત દેશભરમાં કોરોના મહામારીના બે વર્ષ કપરા સાબીત થયા હતા. કોઇપણ વ્યવસાય હોય તેને આ મહામારીના બે વર્ષ આર્થિક રીતે મુશ્કેલ બન્યા છે. કારણ કે લોકડાઉનના લીધે વેપાર-ધંધા ઠપ્પ રહ્યાં હતા. પોરબંદરનું આર્થિક પૈડુ થંભી ગયું હતું. પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટતા ધીમે ધીમે પોરબંદરનું અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું છે. પુષ્ય નક્ષત્રએ સોનુ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો સોનાની ખરીદી કરવા સોની બજારમાં જાય છે. ખાસ કરીને મહિલાઓ કે જેઓને ઘરેણા પિય હોય છે.
પોરબંદર જિલ્લામાં પુષ્ય નક્ષત્રએ અંદાજે ચારથી પાંચ કરોડના સોનાના દાગીનાની શુકનવંતી ખરીદી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ સોની બજારમાં સોનાના વેંચાણથી વેપારીઓ ચહેરા પર ખુશી જોવા મળી. નાની-મોટી મીક્ષ જવેલરીથી લઇ મોટા દાગીનાની ખરીદી થઇ છે. પોરબંદરના અર્થતંત્રને ટકાવી રાખવા સોની બજારમાં ગ્રાહકોએ સોના ખરીદવા ઉત્સાહ દાખવતા વેપારીઓએ ખુશી વ્યક્ત કરી.
પોરબંદર સહિત દેશભરમાં કોરોના મહામારીના બે વર્ષ કપરા સાબીત થયા હતા. કોઇપણ વ્યવસાય હોય તેને આ મહામારીના બે વર્ષ આર્થિક રીતે મુશ્કેલ બન્યા છે. કારણ કે લોકડાઉનના લીધે વેપાર-ધંધા ઠપ્પ રહ્યાં હતા. પોરબંદરનું આર્થિક પૈડુ થંભી ગયું હતું. પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટતા ધીમે ધીમે પોરબંદરનું અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું છે. પુષ્ય નક્ષત્રએ સોનુ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો સોનાની ખરીદી કરવા સોની બજારમાં જાય છે. ખાસ કરીને મહિલાઓ કે જેઓને ઘરેણા પિય હોય છે. તેઓ આ દિવસે સોનુ ખરીદવા ઉત્સુક હોય છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે ચારથી પાંચ કરોડના સોનાની ખરીદી થઇ છે. બે વર્ષ બાદ સોનાનું વેંચાણ સારૂ થતા વેપારીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી. પુષ્ય નક્ષત્રએ સોનાના ભાવ ઉપર નજર કરીએ તો રર કેરેટના ૪૮૮પ૦ જ્યારે રર કેરેટને ૯૧૬ના ૪૯૪૦૦ જેવો રહ્યો હતો.ગોકુલ જવેલર્સના સંજયભાઇએ જણાવ્્યું હતું કે આ વર્ષે પુષ્ય નક્ષત્ર નિમિતે ચારથી પાંચ કરોડની સોનાની ખરીદી ગ્રાહકોએ કરી છે. બે વર્ષની સરખામણીએ વેંચાણ સારૂ છે. પરંતુ ગામડાની ઘરાકી હજુ જોઇએ એવી થઇ નથી. કારણ કે હાલ ખેડૂતો માંડવી ઉપાડી રહ્યાં છે. જેથી જેવી આશા હતી તેવું સોનાનું વેચાણ થયું નથી.
શહેરના અગ્રણી સોની વેપારી શશીભાઇ સોનીએ જણાવ્યું હતું કે પુષ્ય નક્ષત્રના દિવસે આ વર્ષે સોનાના દાગીનાઓનું પ્રમાણમાં મધ્યમ વેંચાણ થયું છે. તો કાવેરી જવેલર્સના પ્રફુલભાઇએ જણાવ્યું હતું કે આ વર્ષે ચારથી પાંચ કરોડની સોનાની ખરીદી ગ્રાહકોએ કરી છે. વેંચાણ સારૂ છે જેથી વેપારીઓમાં ખુશી છે. પોરબંદરની સોની બજારમાં પુષ્ય નક્ષત્રએ નાની-મોટી મીક્ષ જવેલરી તેમજ મોટા દાગીનાનું વેંચાણ સારૂ થયું છે. પોરબંદરના અર્થતંત્રને આગળ ધપાવવા સ્થાનીક બજારોમાંથી ખરીદી કરવી ખૂબ જરૂરી છે. જેવી રીતે પુષ્ય નક્ષત્રના દિવસે ગ્રાહકોએ સોનાની ખરીદી કરી તેવી જ રીતે દિવાળીના આ તહેવારમાં સ્થાનીક બજારોમાંથી જ આપણે સૌ અલગ અલગ વસ્તુઓની ખરીદી કરીએ તેવી આશા સૌ વેપારીઓ સેવી રહ્યાં છે.