news

PM મોદીએ વડોદરાને 21,000 કરોડની પરિયોજનાની ભેટ આપી કહ્યુ, દેશના વિકાસ માટે મહિલાઓનુ સશક્તિકરણ જરૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે પાવાગઢ પર્વત પર પુનર્વિકસિત મહાકાળી માતા મંદિરનુ ઉદ્ધાટન કર્યુ. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં એકવાર ફરીથી મંદિરના શિખર પર ધ્વજ લહેરાવી રહ્યા છે. આ શિખર ધ્વજ માત્ર આપણી આસ્થા અને અધ્યાત્મનુ જ પ્રતીક નથી. આ શિખર ધ્વજ આ વાતનુ પણ પ્રતીક છે કે સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પરંતુ આસ્થાનુ શિખર શાશ્વત રહે છે.

વડાપ્રધાને કહ્યુ, આજે ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવ ફરીથી સ્થાપિત થઈ રહ્યો છે. આજે નવુ ભારત પોતાની આધુનિક આકાંક્ષાઓની સાથે-સાથે પોતાની પ્રાચીન ધરોહર અને પ્રાચીન ઓળખને તે ઉમંગ અને ઉત્સાહની સાથે જીવી રહ્યા છે. દરેક ભારતીય તેની પર ગર્વ કરી રહ્યા છે. તેમણે કહ્યુ, પહેલા પાવાગઢની યાત્રા કઠનિ હતી, લોકો કહેતા હતા કે જીવનમાં એકવાર માતાના દર્શન થઈ જાય. આજે અહીં વધી રહેલી સુવિધાઓએ મુશ્કેલ દર્શનને સુલભ કરી દીધો છે. હવે બાળક, જવાન, વૃદ્ધ દિવ્યાંગ સરળતાથી માતાના ચરણોમાં આવીને ભક્તિ અને પ્રસાદનો લાભ લઈ શકે છે.

પીએમ મોદીએ વડોદરામાં લોકોને કર્યા સંબોધિત

જે બાદ પીએમ મોદીએ વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લીધો. પીએમ મોદીએ 21,000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે સંબોધન પણ કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે 21મી સદીના ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓનો ઝડપી વિકાસ, તેમનુ સશક્તિકરણ એટલુ જ જરૂરી છે. આજે ભારત, મહિલાઓની જરૂરિયાતો, તેમની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખતા યોજનાઓ બનાવી રહ્યુ છે, નિર્ણય લઈ રહ્યુ છે.

ડબલ એન્જિનની સરકારે છેલ્લા 8 વર્ષમાં મહિલાઓને સશક્ત બનાવી

પીએમ મોદીએ કહ્યુ કે અમારી ડબલ એન્જિનની સરકારે છેલ્લા 8 વર્ષોમાં મહિલાઓને સશક્ત બનાવી છે. તેમનુ સશક્તિકરણ ભારતના વિકાસ માટે અનિવાર્ય છે. આજે સેનાથી લઈને ખાણ સુધી મહિલા કલ્યાણને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવવામાં આવી રહી છે.

વડોદરા માતાની જેમ સંસ્કાર આપનારુ શહેર – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ કે વડોદરા માતૃશક્તિના ઉત્સવ માટે એક ઉપયુક્ત નગર છે કેમ કે આ માતાની જેમ સંસ્કાર આપનારુ શહેર છે. વડોદરા સંસ્કારની નગરી છે. આ શહેર દરેક પ્રકારથી અહીં આવનારાને સંભાળે છે, સુખ દુખમાં સાથ આપે છે અને આગળ વધવાનો અવસર આપે છે.

મહિલાઓને વધુમાં વધુ તક મળે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ કે અમે મહિલાઓના જીવનમાં દરેક પડાવને ધ્યાનમાં રાખતા અનેક નવી યોજનાઓ બનાવી છે. મહિલાઓનુ જીવન સરળ બને, તેમના જીવનમાંથી મુશ્કેલી ઓછી થાય, તેમને આગળ વધવાની વધુમાં વધુ તક મળે, આ અમારી સરકારની પ્રાથમિકતાઓમાંની એક છે.

ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં 50% અનામત મહિલાઓ માટે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ કે ગુજરાત દેશના તે રાજ્યોમાં છે જ્યાં પંચાયતી રાજ સંસ્થાઓમાં 50% અનામત મહિલાઓ માટે છે. ગ્રામીણ બહેનોને આર્થિક રીતે સશક્ત કરવા માટે ગુજરાતમાં જ્યારે અમે સુવર્ણ જયંતી મનાવી રહ્યા હતા, તે સમયે અમે મિશન મંગલમ શરૂ કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published.